પુરાવાની ગ્રાહ્યતા વિશે ન્યાયાધીશે નિણૅય કરવા બાબત - કલમ:૧૩૬

પુરાવાની ગ્રાહ્યતા વિશે ન્યાયાધીશે નિણૅય કરવા બાબત

બેમાંથી કોઇ પક્ષકાર કોઇ હકીકતનો પુરાવો આપવા માંગે ત્યારે અદાલત પુરાવો આપવા માંગતા પક્ષકારને પૂછી શકશે કે કહેવાતી હકીકત સાબિત થાય તો તે શી રીતે પ્રસ્તુત બનશે અને તે હકીકત સાબિત થાય તો પ્રાસ્તુત બનશે એવું અદાલતને લાગે તો તે પુરાવો લેશે અને ન લાગે તો પુરાવો લેશે નહિ. સાબિત કરવા ધારેલી હકીકત એવી હોય કે જેનો પુરાવો બીજી કોઇ હકીકતની સાબિતી ઉપરથી જ ગ્રાહ્ય થાય તો તે બીજી હકીકત પ્રથમ જણાવેલી હકીકતનો પુરાવો આપતા પહેલા સાબિત કરવી પડશે સિવાય કે પક્ષકાર એવી હકીકતની સાબિતી આપવાનું માથે લે અને અદાલતને તેથી સંતોષ થાય એક કહેવાતી હકીકતની પ્રસ્તુતતા બીજી કહેવાતી હકીકતના પ્રથમ સાબિત થવા ઉપર આધાર રાખતી હો ત્યારે અદાલત પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તે બીજી હકીકત સાબિત થાય તે પહેલા પ્રથમ હકીકતનો પુરાવો આપવાની પરવાનગી આપી શકશે અથવા તે પ્રથમ હકીકતનો પુરાવો આપવામાં આવે તે પહેલા તે બીજી હકીકતનો પુરાવો આપવામાં આવે એવુ ફરમાવી શકશે. ઉદ્દેશ્ય:- આ કલમ પુરાવાની ગ્રાહ્યતા અંગે ન્યાયાધીશને નિણૅય કરવા બાબતેનો છે કલમ અનુસાર (૧) જે પક્ષકાર પુરાવો આપવા માંગે છે તે હકીકત જો સાબિત થાય તો શી રીતે પ્રસ્તુત બને છે તે જજ પૂછી શકશે. (૨) જો સાબિત કરવાની હકીકત પહેલા બીજી કોઇ હકીકતની સાબિતી આપવાની પરવાનગી આપી શકે. (૩) પહેલી હકીકતની પ્રસ્તુતિ બીજા કહેવાતી હકીકતની સાબિતી ઉપર આધાર રાખતી હોય તો પહેલી હકીકત કે બીજી હકીકત બાબતે પુરાવો આપવાની મંજૂરી આપવાનું જજની વિવેકબુધ્ધિ ઉપર રહે છે. કઇપણ દસ્તાવેજ રજૂ કરાય પછી જ તેની ગ્રાહ્યતાનો સવાલ આવી શકે પક્ષકારે આ દસ્તાવેજ માટે વાંધો લીધો ન હોય તો આ દસ્તાવેજ સાબિત થઇ જતી નથી. કઇ કલમ અનુસાર આ દસ્તાવેજ ગ્રાહ્ય બને છે તે જણાવવું જરૂરી છે. ગ્રાહ્યતા માટેના ઇન્કાર માત્રથી નવા કેસ માટેનું કોઇ કારણ ઉપસ્થિત થઇ જતુ નથી અને કેસના અન્ય પુરાવા માટેનો કોઇ નિણૅય રદૃ થઇ જતો નથી.